ગાંધીનગરઃ ભૂપેન્દ્ર ખાંટના જાતિ સર્ટિફિકેટ મામલે આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારે આ કિસ્સામાં કોઈ અન્યાય કે પક્ષપાત કર્યો નથી.
વિશ્લેષણ સમિતિએ ભૂપેન્દ્ર ખાંટને રજૂઆત કરવાની પૂરી તક આપી હતી. પરંતુ તેઓ પોતાના દાવાના સમર્થનમાં પર્યાપ્ત પુરાવાઓ રજૂ કરી શક્યા નથી.
ભુપેન્દ્ર ખાંટે શિક્ષણ પૈતૃક ગામેથી મેળવ્યું છે. પરંતુ શાળા સર્ટિફિકેટ તેમણે માતૃપક્ષનું રજૂ કર્યું હતું. અને તેના આધારે તેમણે જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું.