બનાસકાંઠા: બનાસકાંઠા જીલ્લામાં વિધાનસભાની કુલ ૯ સીટો છે. તેમાં દરેક સીટ પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. લીલાધર વાઘેલા ઠાકોર સમાજના પીઠ આગેવાન છે. અનેકવાર તેઓ સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. અત્યારે તેઓ પાટણ વિસ્તારના સંસદ સભ્ય છે. પરંતુ તેઓ હવે ઉમરલાયક થયા હોવાથી તેઓ તેમના પુત્રને લોક સેવામાં માટે આગળ લાવવા માંગ કરી રહ્યા છે.
લીલાધર વાઘેલા સાથે ઠાકોર સમાજ ઉપરાંત કે મોટો સમુદાય જોડાયેલો છે. આથી તેમની આ સેવાકીય પ્રવુતિ અવિરત ચાલે તે માટે તેઓ આવનારી વિધાનસભા ની ચૂંટણીમાં તેમના પુત્રને ભાજપ પક્ષ તરફ થી ટીકીટ મળે તેવી માંગ કરી રહ્યા છે. લીલાધર વાઘેલા તેમના જયેષ્ઠ પુત્ર દિલીપ વાઘેલા માટે ભાજપમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે.
મુખ્યમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી તેઓ દિલીપ વાઘેલાને ટીકીટ મળે તે માટેની માંગ કરશે. લીલાધર વાઘેલાએ ડીસા દિયોદર અને કાંકરેજ ત્રણ પૈકી કોઈપણ એક વિધાનસભા ની ટીકીટ તેમને આપવામાં આવે તેવી માંગ કરી છે. લીલાધર વાઘેલાએ પુત્ર માટે ટીકીટની માંગ કરતા બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જયારે જો લીલાધર વાઘેલા ટીકીટ માટે પ્રબળ દાવેદારી કરે તો આગામી સમયમાં ઠાકોર સમાજના અનેક ઉમેદવારોના મનસુબા પર પાણી ફેરવાય તેવી શક્યતા ને નકારી શકાય નહી.