મહેસાણા:ઐતિહાસિક શિલ્પ ધરોહરના સાનિધ્યમાં શિલ્પ અને સંગીતનો સમન્વય બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો હતો.મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવમાં શાસ્ત્રીય નૃત્યથી શ્રોતાઓ મંત્ર મુગ્ધ બન્યા હતા.શાસ્ત્રીય નૃત્યના કલાકારોએ કલાના કામણ પાથર્યા હતા.
દેવયાની કુમારી અને ડૉ.વસુંધરા ડોરા સ્વામીએ ભારત નાટ્યમમાં નૃત્યની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.તો વળી ગુરૂ પાલીચંદ્ર અને શિષ્ય મૈથિલી પટેલે કથ્થક નૃત્યની કૃતિઓ રજૂ કરી હતી.મેઘના શાહ દ્વારા મોહિની અટ્ટમ્ નીતા આચાર્યએ કુચીપડી અને એશા જોષીએ કથ્થક નૃત્યમાં કલાના કામણ પાથરી દેશ અને વિદેશમાંથી આવેલા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમના પ્રથમ દિવસે શીતલ બારોટ ડીમ્પલ ડેપ્યુટીએ ભારતનાટ્યમ નૃત્ય રજુ કર્યું હતું તો વળી ડૉ.ઇલેના ઓડીસી સુશ્રી ઐશ્વર્યા મોહીન અટ્ટમ શંકતુલા ઓઝા દ્વારા કુચીપુડી નૃત્યની વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
ઉલ્લેનીય છે કે ગુજરાત સરકારના યુવા સંસ્કૃતિ અને રમત ગમત વિભાગ દ્વારા દરેક અંગ્રેજી વર્ષની શરૂઆતમાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાતના જ નહીં પરંતુ દેશભરમાંથી કલાના ઉપાસકો કાર્યક્રમમાં ભાગ લેવા અને સ્ટેજ પર રજૂ થતી કૃતિને માણવા મોઢેરા આવી પહોંચે છે.