મહેસાણાઃ ફિલ્મ પદ્માવતનો વિરોધ હવે હિંસક બનતો જઈ રહ્યો છે. બે બસ સળગાવવાના બનાવ બન્યા બાદ એસટી નિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારની તમામ બસ સેવા બંધ કરવામાં આવી છે.
ગોજારીયા અને અન્ય રોડ પર રહેલી તમામ બસોને પોલીસ બંદોબસ્ત વચ્ચે મહેસાણા ડેપો ખાતે લઈ જવાઈ છે. તો વિસનગર તરફની બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે અનેક મુસાફરો અટવાયા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના સાણંદમાં ફિલ્મ પદ્માવતને લઇને ઉગ્ર વિરોધ નોંધાયો હતો. સાણંદ ટોલટેક્સ પાસે 2 AMTS બસમાં આગ લગાવવામાં આવી હતી. આ ઘટના સાણંદ માધવનગર પાસેની હતી.
જ્યાં 2 AMTSને લોકોએ આગ ચાંપી દીધી હતી. AMTS બસની આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેટ પહોંચ્યું હતું. બે ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.