મહેસાણામાં મતગણતરી સેન્ટરમાં પ્રવેશ નહી મળતા કોંગ્રેસના ઉમેદવારમાં રોષ ફેલાયો છે. વિસનગર કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર પટેલે સનસનતા આક્ષેપો કર્યા છે. ઓળખકાર્ડ હોવા છતાં પ્રવેશ મળતો નથી.
મધરાત્રે મતગણતરી સેન્ટર પર અજાણી ગાડીઓની અવર જવર થતી હતી. રજીસ્ટરમાં નોંધ પણ થતી નથી. મત ગણતરી સેન્ટરની સુરક્ષા સામે કોંગ્રેસે અનેક સવાલ ઉભા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી શાંતિપુર્વક તાજેતરમાં યોજાઇ ગયા બાદ આવતીકાલે સવારે મતગણતરી થવાની છે ત્યારે વિસનગરના કોંગ્રેસી ઉમેદવાર મહેન્દ્ર પટેલે સનસનતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારી પાસે ઓળખપત્ર હોવાથી મતગણતરી સેન્ટરમાં મને પ્રવેશ આપવામાં આવતો નથી.
આ સાથે વધુમાં તેમણે જણાવ્યું હતુ કે મધરાતે મતગણતરી સેન્ટર પર અજાણી ગાડીઓની અવર-જવર થતી હોય છે અને તેની નોંધ પણ કરવામાં આવતી નથી.
મહેસાણામાં મતગણતરી સેન્ટરમાં પ્રવેશ નહીં મળતા કોંગી ઉમેદવારનો રોષ