ગાંધીનગર: અમદાવાદમાં આજે પ્રદૂષણનુ સ્તર ભયજનકસ્થિતિએ પહોંચ્યુ છે. પ્રદુષણને લઈને અમદાવાદગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની આજે બેઠકયોજાવાની છે.
જેમાં મુખ્ય સચિવ જે એન સિંઘ પ્રદૂષણ મામલે ચર્ચા કરશે. આ બેઠકમાં બંને શહેરના મ્યુનિસિપલ કમિશનર હાજર રહેશે આ ઉપરાંત અમદાવાદગાંધીનગરના જિલ્લા કલેકટર પણ હાજરી આપશે.
આ સાથે તો ઈન્ડસ્ટ્રીયલ વિભાગના અધિકારીઓ પણ પ્રદુષણ મામલે ચર્ચા કરશે. ખાસ કરીને નવરંગપુરામાં એર ક્વોલિટી ઈન્ડેકસ 197 રહેશે.
એરપોર્ટ પર 102 એર ક્વોલિટી ઇન્ડેકસ રહેશે. સેટેલાઇટમાં 200 એર વોલિટી ઈન્ડેકસ છે જ્યારે બોપલમાં 131 ચાંદખેડામાં 127 રાયખડમાં 119 અને પીરાણામાં 182 એર ક્વોલિટિ ઈન્કેકસ રહેશે.
જ્યારે સૌથી વધુ રખિયાલમાં 357 જેટલો એર ક્વોલિટી ઈન્ડેક્સ રહેશે.તો ગાંધીનગર ખાતે ગિફ્ટ સીટીમાં 182 એર ક્વોલિટિ ઈન્ડેકસ રહેશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ પણ દિલ્હીની જેમ પ્રદુષણમય બની ગયુ છે. ચોતરફ ફેલાયેલ કચરના ઢગલાને કારણે શહેરની સ્થિતી બહુ જ ખરાબ થઇ ગઇ છે. ત્યારે આ ગંભીર સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે માટે સરકારના મુખ્ય સચિવે આજે તાત્કાલિક અસર હેઠળ બેઠક બોલાવી છે.