રાજકોટઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્ય સરકારના આગામી બજેટને લઈને ચર્ચા કરવામાં આવશે. તેમજ તાજેતરમાં જ ગોંડલ ખાતે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મામલે પણ ચર્ચા થશે.
હાલ નર્મદા ખાતે સરદાર સરોવર ડેમમાં પાણીના જથાને લઈને સરકારમાં ચિંતા ઉભી થઈ છે. આ બેઠકમાં સિંચાઈના પાણી અંગે વિચારો રજૂ થશે સાથે સાથે ફી નિર્ધારણ મામલે અને સરકારની નીતિ વિષયક મામલે પણ ચર્ચા હાથ ધરાશે.