ગાંધીનગર: સર્કિટ હાઉસમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ રહી છે. સ્ટેટ અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની બેઠક યોજાઇ રહી છે. રાજયમાં રોડના કામો અને નેશનલ હાઇવે પ્રોજેક્ટના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી રહી છે.
મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે 32 હજાર કિલોમીટર રોડના કામો અત્યાર સુધી પૂરા થયા છે. 40 હજાર કિલોમીટર રસ્તાના કામો ચાલી રહ્યા છે. સરકાર દ્વારા બાકીના 36 હજાર કિલોમીટર રોને સૈદ્વાંતિક મંજૂરી મળી છે. 700 કિલોમીટરના કામો માટે રૂ. 23 હજાર કરોડનો ખર્ચ થશે.