સુરતઃ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા તડામારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુરતમાં પ્રવિણ રામ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક પૂર્ણ થઈ. આ બેઠકમાં પ્રવિણ રામની માંગણીઓને લઈને ચર્ચા થઈ છે. ત્યારે હવે આગામી દિવસોમાં ફરી એખ્ક વખથ ગોઠવવામાં આવશે. આ બેઠક બાદ બીજેપીની મુશ્કેલીમાં વધારે થઈ શકે છે.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રવિણ રામ કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે. મહત્વનુ છે કે છેલ્લા ઘણા સમયથી પ્રવિણ રામ કર્મચારીઓ ખેડૂતો અને દેશમાં વધી રહેલી બેરોજગારીના મુદ્દે લડત ચલાવી રહ્યા છે. ઓબીસી એસસી એસટીના શોષિતોનુ પ્રવિણ રામને સમર્થન છે. ત્યારે હવે કોંગ્રેસ સાથે બેઠક બાદ આ નેતા કોંગ્રેસમાં જોડાય તો બીજેપીને મુશકેલીઓ થઈ શકે છે.
નોંધનીય છે કે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે એકાએક રાયબરેલીમાં બ્લાસ્ટ થતા રાહુલ ગાંધી રાયબરેલી નિકળી ગયા. રાહુલ ગાંધીના પ્રવાસ દરમ્યાન પ્રવિણ રામ અને રાહુલ વચ્ચે મુલાકાત થવાની હતી. ત્યારે રાહુલ ગાંધી રાયબરેલી જતા પ્રવિણ રામે કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી છે.