રાજકોટઃ પાસ કન્વીનર હાર્દિક પટેલ અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ વચ્ચે બેઠક યોજાઇ. માયાણીચોક એજયુકેશન ભવનમાં હાર્દિક પટેલ નરેશ પટેલ વચ્ચે હાલની રાજકીય સ્થિતિ અંગે અને અનામતને લઇને ચર્ચા થઇ હતી.
બેઠક યોજયા બાદ હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લઇ આશીર્વાદ લીધા છે. નરેશ પટેલ મારા વડીલ છે. મુલાકાત સારી રહી છે. હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે ઉમિયાધામ ખોડલધામ બંને સંસ્થાઓને આગળ લઇ અનામત ફોમ્યુર્લા અંગે વાત કરી હતી.
અમારા વચ્ચે કોઇ મતભેદ નથી. 15 મિનિટ સુધી બેઠક ચાલી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાહુલ ગાંધી નરેશ પટેલની મુલાકાત લઇ ચુકયા છે.