અમદાવાદ: શહેરના ચાંદલોડિયા વિસ્તારમાંથી રવિવારે રાત્રે એક પરણીતાનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાંથી એક 29 વર્ષીય પરણિતાની લાશ મળી આવી છે. લાશ મળી આવી હોવાની માહિતી વાયુવેગે ફેલાતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ તરત જ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ પરણીતાની હત્યા કરવામાં આવી કે પરણીતાએ આપઘાત કર્યો છે. તે દિશામાં પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.