દેશમાં જ્યાં વીવીઆઈપી કલચરની ટીકા કરવામાં આવે છે અને બધા લોકો વીવીઆઈપી તરીકે ઓળખાવા માંગે છે ત્યાં મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે એક દાખલો પ્રસ્તુત કર્યો છે. બિરેન સિંઘે ગુવાહાટી એરપોર્ટ પર એક ગર્ભવતી મહિલા માટે પોતાના વીવીઆઈપી લાઉન્જ છોડીને બાકીના મુસાફરો સાથે સામાન્ય વિસ્તારમાં રાહ જોઈ હતી.
નવી દિલ્હીથી ઈમ્ફાલ જતી વખતે તેમના જહાજ સાથે પક્ષી અથડાયું હતું એટલે તેઓ ગુવાહાટીમાં ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા. તેમનું વિમાન ગુવાહાટીમાં ઉતર્યું હતું પરંતુ આગળ જવાની સ્થિતિમાં ન હતું. જ્યાં સુધી વૈકલ્પિક ગોઠવણી કરવામાં આવે ત્યાં સુધી બિરેનને વીવીઆઇપી લાઉન્જમાં રાહ જોવા માટે કહેવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું 'હું નીચે આવ્યો ત્યારે મેં એક ગર્ભવતી મહિલાને ઘૂંટણ પર બેઠા જોઈ કારણ કે તે સામાન્ય ખુરસી પર બેસી શકે તેમ ન હતી. એરલાઇન ઓથોરિટીએ તેના માટે કોઈ અલગ ગોઠવણ કરી ન હતી." મુખ્યમંત્રીએ મહિલાના પરિવાર અને તેના કર્મચારીઓ સાથે વાત કરીને મહિલાને વીવીઆઈપી લાઉન્જમાં આરામ કરવાની વિનંતી કરી. મુખ્યમંત્રીએ કહ્યું "મને કહેવામાં આવ્યું હતું કે તે આઈવીએફ ગર્ભાવસ્થામાં છે અને ડોકટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે.'