સુરતઃ પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મણિશંકર અય્યર દ્વારા કરાયેલ નિવેદનનો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે નિરાશામાં કોંગ્રેસના નેતા માન-મર્યાદા ભૂલી ચૂક્યા છે.
કોંગ્રેસે મને નિચ કહ્યાં ગધેડા કહ્યાં ગંદી નાળીના કીડા કહ્યા પરંતુ આ તેમના મોગલાઇ સંસ્કારો છે. ગુજરાતના સંતાનનું અપમાન 18મી તારીખે મતદાન પેટી બતાવશે.
તમે મને નીચજાતિના કહ્યાં ગધેડા કહ્યાં ગંદી નાળીના કીડા કહ્યું તમે મને મોતનો સોદાગર કહ્યું જેલમાં પુરવાના પ્રયાસો કર્યા પરંતુ 3 વર્ષથી સત્તા પર છું પણ બદલાની ભાવનાથી કામ નથી કર્યું. આ અમારા સંસ્કારમાં નથી.