સુરતઃ શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સવજી કોરાત બ્રિજ પરથી એક યુવકે ઝંપલાવ્યુ છે. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને બચાર કામગીરી હાથ ઘરી હતી.
આ ઘટનાની જાણ થતા સરથાણા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે હવે આ યુવકે ક્યા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે ત્યારે કોરાત બ્રિજ પરથી એક યુવકે આપઘાત કર્યો છે. જેને લઇ ફાયરવિભાગ દ્વારા રેસ્ક્યૂ કર્યું હતું.