મુંબઇઃ મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી લેફ્ટિનેન્ટ કર્નલ પુરોહિત જામીન પર મુક્ત થયા છે. કર્નલ પુરોહિત છેલ્લા 9 વર્ષથી મુંબઈની તલોજા જેલમાં બંધ હતા. મહત્વનું છે કે 2008માં માલેગાંવ બ્લાસ્ટમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. જે મામલે કર્નલ પુરોહિત 9 વર્ષથી જેલમાં હતા. જોકે કર્નલ પુરોહિતને સુપ્રીમ કોર્ટે 21 ઓગસ્ટે વચગાળાના જામીન આપ્યા હતા.