ન્યૂયોર્કઃ પાકિસ્તાને ફરી બે મોઢાની વાત કરી છે. એક તરફ સરહદ પર UNના મંચ પરથી પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યા છે. પાકિસ્તાનના PM શાહિદ અબ્બાસીએ કહ્યું છે કે ભારત યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યું છે. તો સાથે જ ભારત પર કશ્મીરીઓનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો છે.
એટલું જ નહીં કશ્મીરને લઇને એક દૂતની નિમણૂક કરવાની વાત પણ ઉચ્ચારી છે. સાથે જ તેમણે કશ્મીર સહિત તમામ મુદ્દે ભારત સાથે વાત કરવાની તૈયારી બતાવી છે. 20 મિનિટના ભાષણમાં શાહીદ અબ્બાસીએ ચાર વખત કાશ્મીર રાગ આલાપ્યો હતો.
પાક. પીએમ શાહિદ ખાન અબ્બાસીએ કાશ્મીર રાગ આલાપતા કહ્યું કે ભારતની દમનકારી નીતિઓની સામે કશ્મીરી લોકો પહેલાની જેમ આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે. દરરોજ રસ્તાઓ પર ઉતરે છે. ભારતીય જવાનો કશ્મીરીઓની અવાજ દબાવવા માટે બાળકો મહિલાઓ અને યુવાનો પર ફાયરિંગ કરે છે. પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હજારો લોકો ઘાયલ થઇ ગયા છે. ભારતની આ કાર્યવાહી જેનેવા કન્વેંશનનું ઉલ્લંઘન છે.
પોતાની ક્રૂર કાર્યવાહીથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે ભારત સતત સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીથી સીઝફાયરની 600 ઘટનાઓનું પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે. પરંતુ ભારતની આ કાર્યવાહી ચાલુ છે. અને આ પાકિસ્તાન વિરૂદ્ધ સીમિત યુદ્ધ જેવું છે. ભારતની આ ઉશ્કેરણી વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાયને ધ્યાન આપવું જોઇએ.
પાકિસ્તાન ભારતની સાથે તમામ મુદ્દાઓ પર વાતચીત ફરી શરૂ કરવા માટે તૈયાર છે. કશ્મીર મુદ્દે પણ શાંતિ અને સુરક્ષા માટે અમે દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. પાકિસ્તાનની સંપ્રભુતા અને પશ્ચિમી સીમા પરથી ચાલુ આતંકી ઘટનાઓને ધ્યાનમાં રાખતા ભારત તરફથી વાતચીત પહેલા શરૂ થવી જોઇએ.