દિવાળી પર લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. લોકો પોતાની શ્રદ્ધાનુસાર લક્ષ્મી દેવીને ભેટ અર્પણ કરતા હોય છે. પરંતુ દેશમાં એક મંદિર એવું છે. જ્યાં લોકો દિવાળી પર મા લક્ષ્મીને નોટોની ગડ્ડીઓ સોનુ ચાંદી ઘરેણા વગેરે અર્પણ કરે છે અને તેના બદલામાં પ્રસાદ સ્વરૂપે ધનરાશિ કે અન્ય વસ્તુઓ લઇને જાય છે.
આ મહાલક્ષ્મીનું મંદિર મધ્ય પ્રદેશના રતલામમાં આવેલું છે. આ મંદિરમાં એવી માન્યતા છે કે મંદિરમાં જે પણ ભેટ ચઢાવવામાં આવે છે. તે ભેટ વર્ષ દરમિયાન ડબલ થઇ જાય છે. આ મંદિરમાં દર વર્ષે 100 કરોડથી વધુ ધનરાશિ ચઢાવવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે મંદિરમાં રૂપિયાથી બનેલા બંદનવાર લગાવવામાં આવે છે.