ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ પરવેઝ મુશર્રફ આતંકને સમર્થન આપે છે તે એકવાર ફરી સાબિત થઇ ગયું છે. એક પાકિસ્તાની ચેનલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખુલીને લશ્કર એ તૈયબાનું સમર્થન કર્યું છે.
મુશર્રફે કહ્યું કે લશ્કર એ તૈયબાથી તેમને ઘણો પ્રેમ છે. લશ્કર અને જમાત ઉદ દાવા પણ તેમને પ્રેમ કરે છે. પરવેઝ મુશર્રફે કહ્યું કે હાફિઝ સઇદ સાથે તેમણે મુલાકાત કરી છે અને કશ્મીરમાં તેમની પોતાની પણ મહત્વની ભૂમિકા છે. મુશર્રફે ઝેર ઓકતા કહ્યું કે તેઓ હંમેશાથી કશ્મીરમાં ભારતીય સેનાનો ખાત્મો કરવા માગે છે.
જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઇદ નજરકેદમાંથી મુક્ત થયો છે અને તેની મુક્તિથી ભારત અને અમેરિકા બન્ને નારાજ છે. ત્યારે પરવેઝ મુશર્રફે ખુલીને હાફિઝ સઇદ અને તેના સંગઠનનું સમર્થન કર્યું છે.