ગુજરાતની કલાપ્રેમી છે ત્યારે ગોહિલવાડની ઓળખ પામેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરમાં ગુજરાતની કલા-કારીગરીને ઉજાગર કરતા એક કાર્યક્મની તાજતરમાં શરૂઆત થઇ છે. ભાવનગર નાં આંગણે આજ થી બે દિવસ માટે સૌરાષ્ટ્ર કક્ષા નો રીજનલ કળા મહાકુંભ નો પ્રારંભ થયો છે જેમાં ગુજરાત નાં ત્રણ મહાનગરો અને અન્ય શહરો ની ટીમો નાં કુલ ૪૫૦ જેટલા કલાકારો ભાગ લઇ રહ્યા છે આ કળા મહાકુંભ કાર્યક્રમ ને ભાવનગર નાં મેયર નીમુબેન એ ખુલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે રમત ગમત અધિકારીઓ તેમજ અન્ય આમંત્રિતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવનારી ટીમો આગામી દિવસો માં વડોદરા ખાતે યોજાનાર રાજ્ય કક્ષા ની સ્પર્ધા માં ભાગ લેશે પ્રથમ દિવસે રાસ ગરબા સુગમ સંગીત સહીત ની સ્પર્ધા ઓ ચાલુ થઈ હતી .
ગુજરાત સહીત ભારત ભરમાં નવરાત્રીની અને અન્ય તહેવારોની ખાસ ઉજવણીઓ હાથ ધરવામાં આવશે ત્યારે ભાવનગરને આંગણે શરૂ થયેલ આ કલા વિષયક હરીફાઈને માણવા ભાવનગરના મોટા ભાગના રહેવાસીઓ પણ ખાસ હાજર રહ્યા હતા.