છેલ્લા ઘણા સમયથી દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણી અને ક્ષત્રિય સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર પોતાના સમાજ માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે બન્ને અગ્રણીઓએ આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.
આ તરફ દલિત નેતા જીગ્નેશ મેવાણીએ વડગામ બે"ક પર થી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા.
મહત્વનુ છે કે આ બેઠક પર ભાજપ તરફ થી વિજય ચક્રવતી અને કોંગ્રેસ તરફ થી મણીભાઈ વાઘેલાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ત્યારે હવે તેમની સાથે જીગ્નેશ મેવાણીમી ટક્કર થશે.
તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે પાટણની રાધનપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. અલ્પેશ ઠાકોરે પોતાના સમર્થકો સાથે સભા યોજી રેલી સ્વરૂપે પોતાનુ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. આ દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર તરફથી ઉમેદવાર લવિંગજી ઠાકોર પર પ્રહાર કર્યા હતા.