નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેનાના માર્શલ અર્જન સિંહનો પાર્થિવ દેહ પંચ તત્વમાં વિલીન થઇ ગયું છે. નવી દિલ્હીના બરાર સ્ક્વાયરમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા. અર્જન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યું તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી તે સિવાય તેમને ફ્લાઇ પાસ્ટ પણ આપવામાં આવ્યું. અર્જન સિંહના સન્માનમાં નવી દિલ્હીની દરેક બિલ્ડીંગો પર રાષ્ટ્રીય ધ્વજ અર્ધ ઝુકેલો રખાયો.
દિલ્લીમાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અર્જનસિંહના માનમાં દિલ્લીમાં તમામ સરકારી ઈમારતોમાં રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રાખવામાં આવ્યો. આ દરમિયાન વાયુસેનાના વિમાનો સાથે બંદૂકોની સલામી આપવામાં આવી.
મહત્વનું છે કે હૃદયરોગનો હુમલો થતાં અર્જનસિંહે શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. વાયુ સેનાના માર્શલ અર્જન સિંહ હંમેશા યુદ્ધ નાયકના રૂપમાં યાદ કરવામાં આવશે. જેમણે સફળતાપૂર્વક 1965ના ભારત-પાક. યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું.
અર્જન સિંહનો પાર્થિવ દેહ તેમનો પરિવાર નહીં પરંતુ એરફોર્સના 8 જવાનો લઇને આવશે એરફોર્સના સીનિયર રેન્કના વિંગ કમાન્ડર તેમને સલામી આપશે.