વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસની મુલાકાતે છે. શનિવારે પીએમ મોદી અહીં શહંશાહપુરમાં શૌચાલય નિર્માણની શરૂઆત કરી. અને શૌચાલયના નિર્માણની સાથે જ પીએમએ સ્વચ્છતા અભિયાનની પણ શરૂઆત કરી છે. ત્યારબાદ પીએમ પશુ આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કરવાના કર્યું. અહીં મોદી ખેડૂતોની એક જનસભા સંબોધિત કરી. મોદીની સાથે રાજ્યપાલ રામ નાઇક અને સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા.
પીએમ મોદી જનસભાને સંબોધિત કરતા કહ્યું કે યૂપી સરકારની પશુધન મેળાની શરૂઆત માટે હું અભિનંદન અર્પું છું. મોદીએ કહ્યું કે ખેડૂત જે પશુના આરોગ્યની ચિંતા કરી રહ્યા છે તે ખેડૂતોને આ મેળા દ્વારા મોટી રાહત મળશે. આને ગરીબ ખેડૂત પશુના આરોગ્યની ચિંતા કરી રહ્યા છે. ખેડૂતોને આ મેળા હેઠળ મોટી રાહત મળશે. આનાથી ગરીબ ખેડૂત પશુની દેખરેખમાં સંકોચ કરે છે એવા ખેડૂતોની આ સેવાનો ફાયદો મળશે.
મોદીએ કહ્યું કે દુધ ઉત્પાદન અને પશુપાલનનું કામ આગળ વધારવામાં સહયોગ આપે. તેમણે કહ્યું કે રાજનીતિક દળો જેઓ એવું કામ કરે છે જેમાં વોટ મળી શકે. પરંતુ અમારા માટે દળથી મોટો દેશ છે. તેમણે કહ્યું કે અમારી પ્રાથમિકતાઓ તે પશુઓની સેવા કરવાનું પણ છે જે ક્યારેય વોટ નથી આપતા. 70 વર્ષમાં પશુઓ માટે એવું અભિયાન ક્યારેય ચલાવાયું નથી.
જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતના વિકાસમાં દુધ ઉત્પાદનની મોટી ભૂમિકા રહી છે. હવે યૂપીના કાનપુર અને લખનૌથી પણ ગુજરાતની બનાસ ડેરીમાં દૂધ વેચવાનું શરૂ થઇ જશે. ખેડૂતો માટે ગુજરાત સરકાર અને બનાસ ડેરીની મદદથી યૂપી સરકાર તરફથી ચલાવવામાં આવેલ અભિયાનથી ઘણો ફાયદો થવાનો છે.
શહંશાહપુરમાં શૌચાલયના ઉદ્ઘાટન પર પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છતા પણ મારા માટે પૂજા છે અને આ કામ કરીને મને બહુ પ્રસન્નતા થઇ. તેમણે કહ્યું શૌચાલયને 'ઇજ્જત ઘર'નું નામ આપવા માટે યૂપી સરકારને ધન્યવાદ આપતા. કારણ કે આ શૌચાલય ઘરની બહેન-દિકરીઓની આબરૂ છે. આપણે દરેકે પોતાના ઘરમાં ઇજ્જત ઘર એટલે શૌચાલયનું નિર્માણ કરવું જોઇએ.
ખેડૂતોની રેલીને સંબોધિત કરતા સીએમ યોગી આદિત્યાનાથે કહ્યું કે યૂપીમાં પહેલીવાર પશુ આરોગ્ય મેળાનો આરંભ થઇ રહ્યો છે અને પીએમ મોદીની પ્રેરણાથી જ થઇ શકે છે. તેમણે કહ્યું કે આ મેળાથી ખેડૂતોના પશુધનના ઉપચાર અને પશુઓની સુધારેલ જાતોને વિકસિત કરવામાં આવશે.
યોગી આદિત્યનાથે કહ્યું કે યૂપી સરકાર 9.7 લાખ ગરીબ લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવી રહ્યા છે. ગ્રામીણ ક્ષેત્રમાં દરેક વ્યક્તિને આ યોજના હેઠળ 1.20 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે ત્યારે શહેરી ક્ષેત્રમાં પ્રતિ વ્યક્તિ 2.50 લાખ આવાસ યોજના હેઠળ આપવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ અહીં આવાસ યોજનાનો લાભાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કર્યા.