અમરેલીના પીપાવાવ રામપરા વચ્ચે વહેલી સવારે સિંહ પરિવારની લટાર જોવા મળી હતી. રેલવે ટ્રેક પર લટાર જોવા મળતા સિંહોની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયા હતા.
વારંવાર રેલવે ટ્રેક પર સિંહ જોવા મળતા છતાં વનવિભાગ દ્વારા કોઇ પગલા લેવાતા નથી. આ વિસ્તારમાંથી રોજ કેટલીય ટ્રેન પસાર થાય છે ત્યારે ટ્રેનની હડફેટે સિંહોનું મોત થાય તો જવાબદાર કોણ? તે પણ એક પ્રશ્ન છે.
ઉલ્લેખનીય છે કે ખુલ્લા જોવા મળતા રેલવે ટ્રેક પર ઘણીવાર સિંહ જોવા મળતા હોય છે.આ અગાઉ ગીરના જંગલમાંથી પસાર થતાં રેલવે ટ્રેક પરથી સિંહણ પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
સિંહ લટારના બનાવો વારંવાર બનતા હોવા છતાં વન્યસંપદાથી ભરચક રહેતા વિસ્તારમાં આ બાબતે સાવચેતી રાખીને કોઇ પગલા લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.