જો સવારે ઉઠીને તમને ચક્કર આવતા હોય અથવા તો થાકી ગયા હોવ તેવું લાગતું હોય તો તમારે ડોક્ટરની પાસે તપાસ કરાવવી જોઇએ. આ લક્ષણો લો બ્લડ પ્રેશર અથવા તો હાઇ બ્લડ પ્રેશર ના હોઇ શકે છે. કેટલીક વાર આપણા આ લક્ષણોથી વાકેફ હોવા છતા પણ તમે અવગણી દેતા હોઇએ છીએ અને માની લેતા હોઇએ છીએ કેઉંઘ પૂરી નહી થવાને કારણે થતું હશે. પરંતુ જો તમારામાં આવા લક્ષણો દેખાતા હોવ તો તેને અવગણનાની ભૂલ કરશો નહીં.
જો તમારું બ્લડ પ્રેશન 120/80 મિમીના પારાનાં સામાન્ય સ્તરથી નીચે જતું હોય તો આ લો બ્લડ પ્રેશરનાં લક્ષણો છે અને જો સામાન્ય સ્તર કરતા વધી જાય તો હાઇ બ્લડ પ્રેશરના લક્ષણ કહેવાય. આ બંને પ્રકારના લક્ષણો તમારા શરીને નુકસાનકારક સાબિત થાય છે. આ બંને લક્ષણો માટે અમે તમને કેટલાક ઉપાયો બતાવીએ છીએ જે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે ઉપયોગી છે.
દિવસમાં 2 ગ્લાસ બીટનો રસ પીવાથી બ્લડ પ્રેશર સ્થિત રહે છે.
તુલસીના પાન લો બ્લડ પ્રેશર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તુલસીના પાનનો રસ નીકાળીને તેમાં એક ચમચી મધ ભેળવીને સવારે ખીલી પેટે પીવું જોઇએ.
દિવસમાં એક વાર મુઠેળીના પાવડરની ચા પીવાથી પણ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખી શકાય છે.
જો તમને લો બ્લડ પ્રેશર જેવું લાગતું હોય અને વીકનેસ જેવું લાગતું હોય તો અડધો કપ કોફી પી લેવી. તેનાથી લો થયેલું બ્લડ પ્રેશર વધી જશે.