બળાત્કારના કેસમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહિમ જેલમાં સજા કાપી રહ્યો છે..ત્યારે રામ રહીમ જેલમાં કેવી જિંદગી વિતાવી રહ્યો છે. તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. તેવામાં ચંડીગઢ જેલના DG કે.પી. સિંહે જણાવ્યું છે કે રામ રહીમ જેલમાં એક સામાન્ય કેદી જેવું જીવન જીવે છે.
રામ રહીમ જેલમાં શાકભાજી ઉગાડવાનું કામ કરી રહ્યો છે. અને 8 કલાકના કામનું 20 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે. મહત્વનું છે કે બળાત્કારના અલગ અલગ બે કેસમાં રામ રહીમને કોર્ટે 10-10 વર્ષની સજા ફટકારી છે.
ઉલ્લખનીય છે કે સચ્ચા ડેરા સૌદાના ધર્મગુરૂ રામ રહિમને પંચકુલાની સીબીઆઇની ખાસ અદાલતે સાધ્વીઓનું યૌન શોષણ કરવાના આરોપસર તેને 20 વર્ષની સજા ફટકારવાંમા આવી હતી જેને પગલે તેને રોહતકની જેલમાં રાખવામાં આવ્યો છે જ્યાં તેને શાક ઉગાડવાનું કામ સોંપવામાં આવેલ છે અને આ કામ માટે તેને રોજનું 20ર રૂ ભથ્થુ આપવામાં આવે છે.