નવી દિલ્હી: દેશના ઇતિહાસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના મોજૂદા જજોએ આજે મીડિયાને સંબોધિત કરી હતી. જજોની પ્રેસ કોન્ફરન્સ બાદ સરકારમાં હડકંપ મચી ગયો છે. એના તરત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ અને રાજ્ય મંત્રી પીપી ચૌધરીને બોલાવ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીએમ આ બાબતવે વધારે પ્રાધાન્ય આપવાં માંગતા નથી અને જેથી કાયદા પ્રધાનને બોલાવીને જરૂરી દિશા નિર્દેશ જારી કરી શકે છે. આ પહેલો એવો મોકો છે જ્યારે સપ્રીમ કોર્ટના મોજૂદા જજોએ મીડિયાની સામે પોતાની પરેશાનીઓ વ્યક્ત કરી અને કોર્ટ પ્રશાસનના કામકાજ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટનમા 4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપો લગાવ્યા છે કે કોર્ટનું પ્રશાસન ઠીક રીતે કામ કરી રહ્યું નથી જો આવું ચાલતું રહ્યું તો લોકતાંત્રિક ખતરામાં છે. ચાર મહિના પહેલા અમે 4 જજોએ ચીફ જસ્ટિસને એક પત્ર લખ્યો હતો. જે પ્રશાસન માટે હતી અમે કેટલાક મુદ્દા ઊઠાવ્યા હતા.