ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ વન-ડે મેચ સિરીઝની આજે અંતિમ મેચ કોલંબોમાં ખાતે રમાવવાની તૈયારીમાં છે. ભારત અને શ્રીલંકા બંન્નેના પ્લેયરો આજે ખાસ તૈયારીઓ સાથે આજે કોલંબો સ્થિત મેદાનમાં ઉતરવાના છે. આ મેચ આજે ભારે રસાકસી સર્જશે. દર્શકો પણ આ મેચ જોવા માંટે ખુબ ઉત્સાહપુર્વક રાહ જોઇ રહ્યા છે. અત્યાર સુધીની તમામ મેચો ભારત જીત્યુ છે જો આજે જે મેચ રમાવાની છે તેમાં ભારતના હાથે ટેસ્ટ સિરીઝમાં જીતશે તો લંકાને ભારતના હાથે વન-ડે સિરીઝમાં સંપૂર્ણ પણે ક્લીન સ્વીપ સાથે શ્રેણી પરાજયનો સ્વાદ ચાખવાનો વારો આવશે. વન-ડે સીરીઝની આજની અં
ઉલ્લેખનીય છે કે ભારત ટેસ્ટની જેમ વન-ડેમાં પણ લંકાનો વ્હાઈટવોશ કરવાના ઈરાદા સાથે મેદાને ઊતરવાની છે. ભારત પાસે રેકોર્ડ બનાવવાનો એક ખાસ અવસર આજે છે.ભારત પાંચમી વન-ડે જીતી જશે તો પહેલી વખત તે બે વન-ડે સિરીઝ ક્લીન સ્વીપ કરીને જીતી લેશે. જો ટીમ ઈન્ડિયા આ મેચમાં પણ ૩૫૦ કરતાં વધારે સ્કોર બનાવશે તો ભારત સૌધી વધારે ૨૫ વખત વન-ડેમાં ૩૫૦થી વધુ સ્કોર કરનારી વિશ્વની ટીમ બની રહેશે.શ્રીલંકન ટીમ હાલનાં સમયમાં સૌથી ખરાબ રીતે દરેક મેચમાં પરફોર્મ કરી રહી છે સામે ભારત પોતનું પરફોર્મન્સ સારા પ્રમાણમાં આપી રહ્યુ છે. દમદાર અને મજબૂત ટીમ સામે ટકી શકે તેમ લાગતું નથી. માત્ર ખરાબ ફોર્મમાં જ નહીં પણ લંકાની ટીમ અત્યારે ઈજાઓના કારણે પણ પરેશાન છે. હાલમાં લંકાની ટીમના પાંચ ખેલાડીઓ ટીમની બહાર છે.
શ્રીલંકન ટીમના હનુમાન તરીકે હાલમા તો એક ખાલી મૈથ્યૂઝ પર આધાર રહેલ છે. આજનીઅંતિમ વન-ડેમાં લાજ બચાવવા માટે ટીમની નજર પૂર્વ સુકાની અને સૌથી વધુ અનુભવી ખેલાડી એન્જેલો મૈથ્યૂઝ પર ટકેલી છે. મૈથ્યૂઝે ચોથી વન-ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બોલિંગ અને બેટિંગ બંનેમાં તેણે કમાલ કરી હતી. આજે શ્રીલંકા પોતાની ૨૫૦મી વનડે રમશે અને કુશલ મેન્ડિસ ૩૧ રન જો બનાવી શકશે તો ઝડપથી ૧ ૦૦૦ રન બનાવનારો ત્રીજો શ્રીલંકન ખેલાડી બની જશે.