RJDના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના મોટા દિકરા અને પૂર્વ આરોગ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીને લઇને એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેજ પ્રતાપે કહ્યુ કે ''તે સુશીલ મોદીના ઘરમાં જઇને તેમણે મારશે.''તેજ પ્રતાપે આગળ કહ્યુ કે ''જો તે સુશીલ મોદીના દિકરાના લગ્નમાં જાય છે તો ત્યાં તેને ઉઘાડા પાડી દેશે.''
We are not scared our fight will go on will enter his house & beat him up. If I go to his son's marriage I will expose him: Tej Pratap Yadav on Bihar Dy CM Sushil Modi pic.twitter.com/WNPvyDxAIi
ત્યારે બીજી તરફ આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા સુશીલ મોદીએ તેજ પ્રતાપને કુંઠિત કરાર કરી દીધો હતો. સુશીલ મોદીએ કહ્યુ કે ''તેજ પ્રતાપ કુંઠિત છે. તે મારા દિકરાના લગ્નમાં વિધ્ન લાવવા ઇચ્છે છે. મને ખબર નથી પડી રહી કે તે આ મામલામાં કેમ રાજનીતિ રમી રહ્યો છે. હું તો લાલૂ પ્રસાદ યાદવના બાળકોના લગ્નમાં સમ્માનપૂર્વક જવું છું. મને આશા છે કે લાલૂ યાદવ આ મામલામાં તેજની સાથે જરૂરથી વાત કરશે.''
He is frustrated and threatening to disturb my son's wedding. Why is he bringing politics into this? I had respectfully attended weddings of Lalu ji's children. Laluji must talk to him: Sushil Modi Bihar Dy CM on Tej Pratap Yadav pic.twitter.com/GNC0jamn4C
આ પહેલા એક સભામાં તેજ પ્રતાપે સુશીલ મોદી પર નિશાનો સાધતા કહ્યુ કે ''અમે ડરતા નથી અમારી લડાઇ ચાલુ રહેશે. હું તેમના (સુશીલ મોદી)ના ઘરમાં જઇને તેમને મારીશ. જો હું તેમના દિકરાના લગ્નમાં જઇશ તો તેમને ઉઘાડા પાડી દઇશ.''
જનસભામાં તેજ પ્રતાપે કહ્યુ કે સુશીલ મોદીએ ફોન પર દિકરાના લગ્નનું આમત્રંણ આપ્યુ છે. તેજે આરોપ લાગાવ્યો કે આ આમત્રંણ અમારા પરિવારને લગ્નમાં બોલાની અપમાન કરવા માટે છે. પ્રતાપે કહ્યુ ''અમે ડરતા નથી અમે ત્યાં સભા કરીશું અને લગ્નમાં તોડફોડ કરીશું. ઘરમાં ઘૂસીને મારીશું.''
ઉલ્લેખનીય છે કે સુશીલ મોદીના દિકરાના લગ્ન 3 ડિસેમ્બરના છે. સુશીલ મોદીએ પોતાના દિકરાના લગ્ન માટે કોઇ ભવ્ય આયોજન કર્યુ નથી. આ લગ્નમાં ન તો બેંડ વાગશે ન તો મહેમાનો સ્વાગત કરવામાં આવશે મહેમાનોને ભોજનમાં નાશ્તા અને છપ્પન ભોગની જગ્યાએ ભગવાનને ધરાવવામાં આવેલો પ્રસાદ આપવામાં આવશે.