કચ્છના નલિયા-ભાનાડા વચ્ચેનો વાંકળા ઉપરનો પુલ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે.છેલ્લા ત્રણ મહિનાથી પુલ ક્ષતિગ્રસ્ત હતો...જો કે તંત્ર દ્વારા આ મામલે કોઈ જ કામગીરી ન કરતા આખરે પુલ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે...જો કે પુલ તૂટી જતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પુલ તૂટી જતાં રોડની સાઈડમાંથી ડાયર્વઝન આપવામાં આવ્યું છે.ત્યાંના સ્થાનિક લોકો દ્વારા અવાર-નવાર તંત્રને ફરીયાદ કરવામાં આવી હતી તેમ છતા તંત્ર દ્વારા કોઇ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી.