ભાજપના ધારાસભ્ય નીમા બહેન આચાર્યના પુત્રએ સરકારને કરોડોનો ચૂનો લગાવ્યો હોવાના આક્ષેપ થયા છે. નીમાબહેનના પુત્રએ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાના 150 કરોડથી વધુ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે. જે અંતર્ગત પોર્ટ પ્રસાશન દ્વારા નીમાબહેનના પુત્રની જેટી પર કબજો કરવામાં આવ્યો છે. સતત વિવાદમાં રહેતા નીમાબહેનનું નામ પુત્રના કારણે ફરી વિવાદમાં આવ્યું છે.
પી.પી.પી. પ્રોજેક્ટ અંતર્ગત તેણે જેટી ચલાવવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ પી.પી.પી. પ્રોજેકટ અંતર્ગત જેટી નં 13ને જેટી નં 15 બનાવામાં આવી હતી અને મૌલિન આચાર્યએ રાસ ઈફ્રા નામની કંપની શરૂ કરી હતી. અંદાજે આ કંપની દ્વારા 150 કરોડથી વધુની રકમ લાયસન્સ અને રોયલ્ટી પેટે નક્કી કરવામાં આવી હતી. આ રકમ મૌલિન આચાર્યની કંપનીએ ન ભરતા પોર્ટે કાર્યવાહી કરી તેની જેટી પર કબજો કર્યો છે.