ગુજરાતના એક માત્ર ઘોરાડ પક્ષી અભ્યારણમાં હાઈવોલ્ટેજ વીજલાઇનથી મોતના મામલે કચ્છ કલેકટર અને વનવિભાગે જવાબદાર કંપનીને અન્ડરગ્રાઉન્ડ વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરી નાખવાનો આદેશ કર્યો હતો.
જુલાઇ મહિનામાં નલિયા સ્થિત અભ્યારણ નજીક એક ધોરાડ પક્ષીનુ મોત સુઝલોન કંપનીની વીજલાઇનમાં અથડાવાથી થયું હતું. ત્યાર બાદ વિશ્વમાં લુપ્ત થતી ઘોરાડની પ્રજાતિ માથે સંકટ ઉભું થતા પક્ષી પ્રેમીમાં રોષની લાગણીના કારણે વનવિભાગ સહિત કલેકટરે પણ 10 દિવસમાં કંપનીને યોગ્ય જવાબ આપી વીજલાઇન અન્ડરગ્રાઉન્ડ નાંખવાના આદેશ કર્યા હતાં.
પરંતુ કંપનીએ કોઇ યોગ્ય જવાબ કે કાર્યવાહી ન કરતા ફરી વનવિભાગે સુઝલોન કંપનીને નોટીસ ફટકારી ત્વરીત કાર્યવાહી માટેના આદેશ કર્યા છે. 3 વર્ષમાં આ બીજી ધટના છે.
પક્ષીઓ પર મોતનું ટેન્શન
હાઇટેશન વીજલાઇનથી લુપ્ત ધોરાડ પક્ષીના મોત મામલો
ગ્રેટ ઇન્ડીયન બસટર્ડ એવા ધોરાડ પક્ષીના મોત બાબતે નોટીસ