સુરતમા કોળી સમાજે કેસ પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. કોળી સમાજ દ્વારા તેમના આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવાની માંગ કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પાટીદારોના કેસો પરત ખેંચાતા કોળી સમાજ દ્વારા આ માંગણી કરવામા આવી.
સુરતમાં કોળી સમાજે કેસ પરત ખેંચવાની કરી માંગ
આંદોલનના દરમિયાન થયેલ કેસો ને પરત ખેંચવાની કરી માંગ
પાટીદારોના કેસો પરત ખેંચાતા કોળી સમાજની પણ માંગ
કોળી સમાજના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે સમગ્ર રાજ્યના દરેક સમાજ ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રગનરના ધાંગધ્રા તાલુકામાં ચુલી ગામે સમસ્ત કોળી સમાજ મહાસંમેલનનું આયોજન કરાયુ હતુ. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષ દ્વારા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોઈપણ રાજકીય પક્ષની લોભામણી જાહેરાત આવ્યા વગર કોળી સમાજની એક્તા બતાવવની વાત પણ કરી હતી. જિલ્લાભરમાંથી કોળી સમાજના રાજકીય હોદ્દેદારો આગેવાનો યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વિધાનસભાની ચૂંટણી આવતા લોકોએ કરી ટિકિટની માંગ
ધાંગધ્રામાં કોળી સમાજના મહાસંમેલનનું આયોજન
કોઈપણ પક્ષની લોભામણી જાહેરાતમાં ન આવવા લીધો નિર્ણય