મોટાભાગે લોકોના શરીરમાં સ્વાસ્થ્યથી જોડાયેલી કોઇને કોઇ સમસ્યા રહે છે. જેમ કે માથાના દુખાવો, સાંધાનો દુખાવો, પેટમાં દુખાવો જેવી... આ સમસ્યાઓ ખૂબ જ સામાન્ય હોય છે જે ક્યારેક ક્યારેક કોઇનામાં જોવા મળે છે. પરંતુ કેટલાક લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હંમેશા પેનકિલર દવાઓનું સેવન કરે છે. આ પેનકિલર તમારા દુખાવાને દૂર તો કરે છે પરંતુ એની કેટલીક સાઇડ ઇફેક્ટસ હોય છે. જે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.
કેટલીક વખત એવું થાય કે પેનકિલર ખાવાથી દુખાવો ઓછો થઇ જાય છે પર એનાથી એસિડીટી, ઉલ્ટી, ડાયરિયા અને પેટના દુખાવા જેવી ઘણી સમસ્યાઓ થઇ જાય છે.
ઘણા બધાની ટેવ હોય છે કે નાની નાની સમસ્યાઓમાં પેનકિલરનું સેવન કરતાં હોય છે, પરંતુ અમે તમને જણાવી દઇએ કે આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઇ શકે છે. જો તમે વધારે પ્રમાણમાં આ પેનકિલર દવાઓનું સેવન કરો છો તો એનાથી તમારી કિડની પર ખૂબ ખરાબ અસર પડે છે સાથે વધારે પ્રમાણમાં આ દવાઓના સેવનથી કિડની ફેલ થવાનું પણ જોખમ થઇ શકે છે.
વધાર પડતાં સેવનથી બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ ઉપરાંત હાડકાને પણ નુકસાન પહોંચાડે છે તમારા હાડકાં નબળાં પડી જાય છે.