મહેસાણાઃ ગુજરાતના રાજકારણમાં ગરમારવો સર્જાયો છે ત્યારે નીતિન પટેલનની નારાજગીને લઇ અનેક તર્કવિતર્કો ઉદભવી રહ્યા છે. વિવાદોની વચ્ચે નીતિન પટેલને પાટીદાર સમાજનું સમર્થન મળ્યુ છે. પાટીદાર નેતા કિરીટ પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત બાદ નીતિન પટેલ મંત્રી પદ છોડી શકે તેવું આડકતરું નિવેદન આપ્યુ.
તેમણે કહ્યુ કે નીતિનભાઇને યોગ્ય ખાતા નહીં તો ધારાસભ્ય રહેશે. નીતિન પટેલ સીએમના ઉમેદવાર છતા અન્યાય કેમ ? તેમને યોગ્ય ખાતા નહીં તો મંત્રી પદે પણ ન રહે. નીતિન પટેલના મોભા પ્રમાણે સ્થાન મળવુ જોઇએ.
ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવા હાઇકમાન્ડ હરકતમાં આવ્યું છે. નીતિન પટેલને મનાવવા કેદ્રીય નેતૃત્વ પ્રયાસ શરૂ કર્યા છે. અમિત શાહ અને ભુપેન્દ્ર યાદવ તરફથી મનાવવાના પ્રયાસ શરૂ કરાયા છે. નારાજગીના મામલે ગુજરાત કેન્દ્ર સરકારના આગેવાનો નીતિન પટેલના સંકર્પમાં આવી ગયા છે.
ગુજરાતની નવી સરકારની ખાતાની વહેંચણીને લઈને ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ થયા છે. નીતિન પટેલ પાસેથી શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ ખાતુ છીનવાતા તેઓ નારાજ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતિન પટેલની નારાજગી પણ સામે આવી છે. ખાતાની વહેંચણીમાં સાઈડ લાઈન કરાતા આજે તેઓ પોતાની ઓફિસ પણ આવ્યા ન હતા. હજૂ પણ કેટલાક દિવસો ન આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.