પાકિસ્તાનઃ કરાચીમાં ચીનના એક નાગરિકની હત્યાના મામલામાં પોતાના મિત્રના દબાણમાં આવેલા પાકિસ્તાને ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના ગૃહમંત્રી અહસાન ઇકબાલે ભારત પર ખોટો આરોપ લગાવતા કહ્યું છે કે કરાચીમાં ચીની નાગરિકની હત્યામાં ભારતનો હાથ છે.
ઇકબાલે કહ્યું છે કે પાકિસ્તાને ચીની નાગરિકોની સુરક્ષામાં 10 હજાર સુરક્ષાકર્મી તૈનાત કર્યા છે. છતાં શિપિંગ ફર્મમાં ચીની મેનેશજગ ડાયરેક્ટરની હત્યા પાછળ ભારતનો હાથ હોઇ શકે છે. સોમવારે કરાચીમાં એક બંદૂકધારીએ ચીની મૂળના શિપિંગ ફર્મના એમડી શેન ઝૈની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.