પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂ આપતાં આસિફે પીએમ મોદીને 'આતંકવાદી' કહ્યું.
પાકિસ્તાની પત્રકાર હામિદ મીર સાથે વાત કરતાં આસિફે કહ્યું કે સુષમા સ્વરાજે પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપનારો દેશ કહ્યો છે. જ્યારે એક આતંકી તો એમના દેશના પ્રધાનમંત્રી છે. એમના હાથ ગુજરાતના મુસ્લિમોના ખૂનથી રંગાયેલો છે.
આસિફે વધુમાં કહ્યું કે ભારતને 'આતંકી પાર્ટી' રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચલાવે છે. પત્રકારે યુનાઇટેડ નેશનમાં બારત દ્વારા જે પાકિસ્તાનની પોલ ખોલી હતી એની પર વિદેશમંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો.
આ પહેલા યૂએનમાં પાકિસ્તાન પોતના મજાક ઊડાવી ચૂક્યું છે. સુષમા સ્વરાજે પાકિસ્તાનને આતંક પ્રોત્સાહન આપવા વાળો દેશ કહ્યો હતો. સુષમાએ કહ્યું હતું કે ભારત આઇઆઇટી અને આઇઆઇએમ જેવી ઇન્સ્ટિટ્યૂટ ખોલે છે તો બીજી બાજુ પાકિસ્તાન લશ્કર-એ-તૈયબા અને જેશ-એ-મોહમ્મદ જેવા આંતકી સંગઠન.
ત્યારબાદ પાકિસ્તાને ભારતને બદનામ કરવા માટે એક ખોટો ફોટો દેખાડ્યો હતો. પાકિસ્તાને ફિલિસ્તીની મહિલાનો ફોટો દેખાડીને એને કાશ્મીરી કહી હતી. મહિલાનો ચહેરો પેલેટ ગનથી પૂરી રીતે ઘાયલ હતો. પાકિસ્તાને કહ્યું હતું કે કાશ્મીરીઓ સાથે ભારત આવું વર્તણૂંક કરે છે. પરંતુ ભારતે એની પોલ ખોલી દીધી હતી.