કેશોદમાં ઉપવાસ પર બેઠેલા દલીત પરિવાર આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
દલિત પરિવારે પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. મોવણા ગામનાં દલીત પરિવાર પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણાનાં પતિ મનસુખ મકવાણાનાં ત્રાસ માંથી મુકિત મેળવવા દોઢ માસથી પણ વધુ સમયથી ઉપવાસ ઉપર બેઠેલા છે.
ઉલ્લેખનીય છે કે કેશોદનાં મોવાણા ગામના દલીત પરિવારને સ્થાનિક પૂર્વ ધારાસભ્ય વંદના બહેન મકવાણાનાં પતિ મનસુખ મકવાણા ત્રાસ અપતા હોવાની રજૂઆત તંત્રને વારંવાર કરી હોવા છતાં આંખ આડા કાન કરતા તંત્રને કારણે તેઓએ પોલીસ સ્ટેશનમાં કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.