આવતીકાલે મંગળવારને 12-12-2017 છે. એક વિશેષ સૌભાગ્ય યોગ સર્જાઇ રહ્યો છે. આ યોગમાં પ્રથમ રૂદ્રાવતાર વીરભદ્રનું પુજન શ્રેષ્ઠ માનવામાં આવે છે.
પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ જ્યારે કનખલમાં મહાયજ્ઞ કર્યો ત્યારે જમાઇને આમંત્રણ આપ્યું નહોતું. આ યજ્ઞમાં જ્યારે પાર્વતીએ મહાદેવનું અપમાન થતું જોયું ત્યારે તેમને ક્રોધ આવ્યો અને યજ્ઞવેદીમાં કુદી પડ્યા અને દેહનો ત્યાગ કર્યો.
શ્રીમદભાગવદમાં જણાવ્યાનુસાર સતીના પ્રાણત્યાગથી ક્રોધીત થયેલાં મહાદેવે ઉગ્રરૂપ ધારણ કર્યું અને પોતાની જટા ખોલીને પૃથ્વી પર પટકી અને શિવનું મહાભયંકર વીરભદ્ર સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. મહાદેવના આદેશ મુજબ વીરભદ્રએ મહાયજ્ઞમાં પહોંચીને દક્ષ પ્રજાપતિનું મષ્તિશ્કનો વધ કરીને મૃત્યુદંડ આપ્યો. આ કથા બાદ જ્યારે આ યોગ સર્જાયો જેમાં વિરભદ્રનું વિશેષ પુજન કરવાથી શત્રુઓનો નાશ થાય છે.