મુંબઇ: 28 ઓગસ્ટથી શરૂ થયેલો ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ 9 પહેલા જ દિવસથી ટીઆરપીમાં સૌથી આગળ છે. પરંતુ KBC 9 ના ચાહકો માટે ખરાબ સમાચાર છે. સૌથી ફેમસ ક્વિઝ શો KBC 23 ઓક્ટોબર બાદ ટેલિકાસ્ટ થશે નહીં.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 23 ઓક્ટોબરે આ શો નો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ શો બંધ થયા બાદ બે નવા શો એની જગ્યા લેશે. 9 વાગ્યે ''રિશ્તા લિખેંગે હમ નયા'' અને ''પહરેદાર પિયા કી'' ની સિક્કવલ છે.
તો બીજી બાજુ 9.30 વાગ્યે એક નવો શો 'હાસિલ' KBC ની જગ્યા લેશે. આ શો થી ફિલ્મ અભિનેતા જાયદ ખાન નાન પડદા પરથી ડેબ્યૂ કરી રહ્યા છે.
નોંધનીય છે કે કોન બનેગા કરોડપતિ એના પહેલા એપિસોડ બાદથી જ ટીઆપી ચાર્ટ્સમાં ટોપ પર છે.