પોરબંદર: જૂનાગઢ ગીરનાર અભ્યારણ માં હાલ 40 વધુ સિંહો વસવાટ કરે છે ત્યારે કથાકાર મોરારીબાપુ ના સિંહ સાથે ના ફોટા વાઇરલ થયા હતા ત્યારે હાલ મોનસુન ની સીઝન માં જંગલ ના રસ્તા બંધ હોઈ છે ત્યારે સિંહ સાથે ના ફોટા વાઇરલ મામલે આજે મોરારીબાપુ મીડીયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી રામકથા દરમિયાન મારે ગીરનાર ની પોથી યાત્રા લઈને જવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગિરનાર પરિક્રમા રૂટ ઉપર સિંહ આવી ચડ્યા હતા ત્યારે સિંહ સાથે ભેટો થયો હતો મારે કોઈ સિંહ દર્શન કરવા નોહતા ગયા તેવી સ્પષ્ટતા કરી હતી
આ મામલે પોરબંદરના RTI એક્ટવિસ્ટે ફરિયાદ કરી છે. ભાનુભાઈ ઓડેદરાએ વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એક્ટ મુજબ બાપુ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માગણી કરી છે.આ આગાઉ ભારતીય ક્રિકેટર રવિદ્ર જાડેજાએ આ રીતે ફોટો મુકતા તેની સામે પણ કાર્યવાહી કરાઈ હતી ત્યારે ભાનુભાઈની માગ છે કે મોરારિબાપુ સામે જરૂરી પગલા ભરાવા જોઈએ અને જવાબદાર અધાકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.