ભારતની આ મશહુર કથક નૃત્યકારા સિતારા દેવીએ કથકનું નામ સમગ્ર વિશ્વમાં જાણીતુ બનાવ્યુ છે. આજે તેમનો 97 મો જન્મદિનવસ છે. કાશીના કબીરચૌરાની ગલીઓમાં ઉછરેલી "ધન્નો" મુંબઇમાં "સિતારા" બની છવાઇ ગઇ. તેમનો જન્મ થયો તે દિવસે ધન તેરસ હતી તેથી તેમના માતા-પીતાએ તેમનું નામ ધનલક્ષ્મી રાખવામાં આવ્યુ હતું.
બનારસ ઘરાનાથી કથકમાં મહારથી હાંસલ કરનાર આ નૃત્યકારાએ કથકનુ નામ વિશ્વમાં છવાઇ ગયુ છે. માત્ર 16 વર્ષની વયે આ અદાકારા રવિન્દ્રનાથ ટાગોરના મતે "કથક ક્વિન" ની ઉપમા મેળવી ચુકી હતી. સિતારા દેવીનું મયુર કી ગત થાલી કી ગત જટાયુ મોક્ષ ગત નિકાસ જેવા નૃત્યો લોકહૈયે જરા અલગ સ્થાન પામ્યા છે.
ઉલ્લેખનીય છે કે મુંબઇના કાર્યક્રમ દરમિયાન 11.30 કલાક સુધી સતત નૃત્ય કરી તેમણે એક ખાસ રેકોર્ડ કાયમ કર્યો હતો. ભારત સરકાર દ્વારા 2003માં તેમને પદ્મવિભુષણથી સન્મનવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેમણે આ ખિતાબ ઠુકરાવી દિધો હતો. તેમણે 2 વાર લગ્ન કર્યા હતાં. સિતાકા દેવીનું નિધન 25 નવેમ્બર 2014માં લાંબી બિમારીને કારણે થયું હતુ.