અમદાવાદ: પદ્માવત ફિલ્મને સુપ્રીમ કોર્ટ દ્વારા લીલીઝંડી આપવાં છતાં કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કરણીસેના દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં કરણીસેનાના કાર્યકરો હાજર રહેશે અને આગળની રણનીતિ અંગે જણાવશે.
જોકે કરણીસેનાએ તો એલાન કરી જ દીધું છે કે જો 25 તારીખે થિયેટરમાં જો પદ્માવતી રિલીઝ થશે તો તેનો વિરોધ નોંધાવવામાં આવશે.
નોંધનીય છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો ચાર રાજ્યમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ભારતભરમાં 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે.