વડોદરા: પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ સાથે આજે કરણીસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. વડાપ્રધાન એક પણ વખત ફિલ્મ પર પ્રતિબંધના મામલે બોલ્યા નથી ત્યારે હવે ગુજરાત બીજા ફેઝની ચૂંટણીના મતદાન ને ગણતરી કલાકો બાકી છે ત્યારે આ મુદ્દે વડાપ્રધાન કોઇ નિર્ણય નહિ લે તો 24 કલાક બાદ કારણીસેના અને રાજપૂતો કોને સમર્થન કરશે તે જાહેરાત કરશે.
જો આવતીકાલ સુધીમાં કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય ના લીધો તો ભાજપના વિરોધ માં મતદાન કરવાની ચીમકી પણ આપી છે. વડોદરાથી કરવા માં આવેલા એલાનને પગલે વડોદરાની વાઘોડિયા સાવલી અને પાદરા બેઠક પર ભાજપને મોટો ફટકો પડે તેવી શક્યતાઓ છે.