ભારતના અસમ રાજ્યમાં આવેલ કામખ્યા મંદિર 52 શક્તિપીઠમાં સૌથી જુની શક્તિપીઠ તરીકે સ્થાન ધરાવે છે. જે ગુવાહાટી રેલવે સ્ટેશનથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલ છે. આ મંદિરે રોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવી પહોંચે છે.આ તીર્થધામ વિશે જોડાયેલ છે કેટલીયે જાણી-અજાણી વાતો જે જાણીને આપને આશ્ચર્ય થશે. આ મંદિર એક પહાડપર બન્યું અનેતેનું તાંત્રિક મહત્વ પણ છે. પ્રધાનમંત્રી નરેનદ્ર મોદી નવરાત્રીના પહેલા દિવસે શુક્રવારના રોજ કામાખ્યા મંદિરમાં દેવીના દર્શન કરવા પહોંચ્યા હતાં. જાણો કામાખ્યા મંદિરનીખાસ વાતો.
- ગર્ભ ગૃહમાં દેવીનો કોઇ ફોટો કે મૂર્તિ નથી.
- તાંત્રિક સિદ્ધિ માટે આ સારું સ્થાન છે.
- દેવીના 51 શક્તિપાઠમાં સમાવેશ થયો છે.
- ગર્ભગૃહમાં ફક્ત યોનિના આકારનો પથ્થર છે.
- માં ભગવતિની યોનિ રૂપનું આ અનોખું મંદિર છે.
- દુનિયાભરના તાંત્રિકો માટેનું આ પૂજ્ય સ્થાન છે.
- દેવીનું યોનિરૂપ મહામુદ્રા કહેવામાં આવે છે.
- આખા બ્રહ્માંડનું કેન્દ્ર બિન્દુ માનવામાં આવે છે.
- મંદિર દરેક મહિનાનાં 3 દિવસ માટે બંધ રહે છે.
- મંદિરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ જમીનથી લગભગ 20 ફીટ નીચે એક ગુફામાં સ્થિત છે.
- દસ મહાવિદ્યાકાલીતારાષોડશીભુવનેશ્વરીછિન્નમસ્તાભૈરવીધુમાવતીબગલામુખીમાતંગી અને કમલાના પૂજા પણ કામાખ્યા મંદિર પરિસરમાં કરવામાં આવે છે.
- અહીંયા બલી ચઢાવવાની પણ પ્રથા છે. એ માટે માછલીબકરીકબૂતર અને ભેંસોની સાથે દૂધીકોળું જેવા ફળ વાળા શાકભાજીની બલી પણ આપવામાં આવે છે.
- પોષ મહિનામાં અહીંયા ભગવાન કામેશ્વર અને દેવી કામેશ્વરીની વચ્ચે પ્રતીકારત્મક લગ્નના રૂપમાં પૂજા કરવામાં આવે છે.
- માન્યતા છે કે કામાખ્યા દેવી માતા સતીના યોનિ અહીંયા પડી હતી.