શ્રાવણમાસનો આજે બીજો સોમવાર છે. મુખ્ય 12 શિવલિંગ સ્વરૂપે શિવ વિદ્યમાન છે તે શિવલિંગમાં સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ ત્રયંબકેશ્વર
વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર ધુશ્મેશ્વર એમ દ્વાદશ જ્યોતિર્લિંગ તરીકે મુખ્ય પૂજાય છે. આ શિવલીંગોનુ સ્મરણ ઉપાસકને ભરપુર સુખ-સમૃધ્ધી ભરપુર આપે છે. આપણા શાસ્ત્રોમા પણ શિવપુજાનુ ખબ મહાત્મય દર્શાવાયુ છે. જે વ્યક્તિ રોજ શિવમંદિર જઇ શકે નહી તે વ્યક્તિએ શિવની પ્રતિકૃતિનુ પણ પુજન કરવુ જોઇએ. આ પ્રતીકૃતિ લગાડવાના કેટલાક નિયમોનુ ધ્યાન રાખવુ જોઇએ.
ઘરમા દ્વાદશ જ્યોતિર્લિંગની પ્રતિકાત્મક તસ્વીરો રાખવાના પણ કેટલાક નિયમો રહેલા છે. કોઇપણ જ્યોતિર્લિંગનો ફોટો પુર્વ અથવા પશ્ચિમ દિશામાં રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એકસાથે બધા જ જ્યોતિર્લિંગના ફોટા ઘરમા ન લગાડવા જોઇએ. શિવજીના આ ફોટા શ્રાવણ માસમા સોમવારે અથવા શિવરાત્રીના દિવસે લગાડવા જોઇએ. અન્ય દેવી-દેવતાના ફોટા જ્યોતિર્લિંથી થોડા દુરના અંતરે રાખવા જોઇએ. આટલી બાબતનુ ખાસ ધ્યાન રાખવાથી શિવકૃપા ઉપાસક પર અવશ્ય બની રહે છે.
શિવલીંગની પુજા શરૂ કરતા પહેલા એક મોટા પાત્રમા બિલીપત્ર ફળ ફુલ અને ધુપ-દીપ લઇ શિવને અર્પણ કરવા જોઇએ. ત્યારબાદ ઉપાસકે મનમાં દ્વાદશ જ્યોતિર્લિંગનુ સ્મરણ કરવુ અથવા શિવનામની 11 માળા કરવી જોઇએ. આ પાંચ શિવલીંગના પ્રતિકાત્મક ચિત્રો ઘરમા લગાડવાથી ઘણો ફાયદો થશે.
- બિમારીથી મુક્ત થવા માટે વૈદ્યનાથનો ફોટો લગાડવાથી રોગી બિમારીમુક્ત થાય છે.
- કોઇના શ્રાપથી મુક્ત થવા માટે સોમનાથ મહાદેવનો ફોટો લગાડી તેની પુજા કરવી જોઇએ.
-આયુષ્ય રક્ષણ અને સારૂ સ્વાસ્થ્ય મેળવવા મહાકાલનો ફોટો લગાડી શકાય.
- કોર્ટ કચેરીના કામો ઉકેલવા અને શત્રુ પર વિજય મેળવવા શ્રીરામેશ્વરમનો ફોટો લગાવી તેની આરાધના કરવી જોઇએ.
- દરેક પ્રકારની તકલીફો અને ગ્રહોની પીડામાંથી મુક્ત થવા વિશ્વનાથ મહાદેવની તસ્વીર લગાવી નિત્ય પુજન-અર્ચન કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે.