કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો ભારતની સાત દિવસના પ્રવાસ માટે આજે દિલ્લી પહોંચશે. ટ્ર્ડોના આ પ્રવાસ પહેલા બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક થઇ હતી જેમાં રક્ષા અને આંતકવાદની વિરુદ્ઘ કાર્યવાહી સાથે સહયોગ વધારવા વેપાર અને નિવેશ સંબંધોના વિસ્તાર પર ચર્ચા થઇ હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યુ કે એવા તમામ મુદ્દાઓપ પર ચર્ચા થશે જેને લઇને ભારત ચિતિંત છે. કેનેડામાં ખાલિસત્તાન સમર્થકોની વધતી ગતિવિધિઓ અંગે અને ટ્રૂડોના પ્રવાસ દરમિયાન આ મુદ્દાઓ પર વાત કરવાના સવાલમાં જવાબ આપતા કહ્યુ કે ''આ એક મહત્વની યાત્રા છે દ્વિપક્ષીય હિતમાં તમામ મુદ્દાઓ પર વાત થશે.''
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પહેલી વખત ભારતના પ્રવાસ પર આવવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2015માં કેનેડા પ્રવાસ દરમિયાન ટ્રૂડો સાથે મુલાકતા લિબરલ પાર્ટીના નેતા તરકીકે થઇ હતી. ટ્રૂડો પોતાની ભારત મુલાકાત દરમિયાન રાજધાની દિલ્હી સિવાય આગરા અમૃતસર અમદાવાદ અને મુંબઇ પણ જશે. અધિકારીઓ અનુસાર કોઇ કેનેડિયન પ્રધાનમંત્રીની ગુજરાતની આ પહેલી મુલાકાત હશે.
20 ફેબ્રૂઆરીના ટ્રૂડોમ મુંબઇ જશે જ્યાં તે ટૉપ ક્લાસના બિઝનેસમેન સાથે મીટિંગ કરશે.આ સિવાય બોલિવુડના સેલેબ્રિટી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક પ્રતિનિધિઓની મુલાકાત કરશે. 21 ફેબ્રુઆરીના અમૃતસરના સ્વર્ણ મંદિરના દર્શન કરશે. 22 ફેબ્રુઆરીના જામા મસ્જિદની મુલાકાત પર જશે.