જુનાગઢઃ કોંગ્રેસની જાહેર થયેલી યાદીમાં જૂનાગઢ પાસના સહકન્વીનર અમિત ઠુમરને ટિકિટ આપતા પાટીદારોમાં રોષ ફેલાયો છે. અને જૂનાગઢ પાટીદાર અનામત આંદોલન સમિતિએ ઝાંઝરડા રો પર અમિત ઠુમરને સમાજનો ગદ્દાર જાહેર કરીને અમિત તથા લલિત વસોયાના પૂતળાનું દહન કર્યુ હતું.
કોંગ્રેસે અમિત ઠુમરને ટિકિટ આપતા જૂનાગઢના પાસના યુવાનો અને દાવેદારો વિનુભાઇના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઉગ્રતાથી બહાર આવવા પાટીદારોને આહવાન કર્યુ હતું.
કોંગ્રેસના ધારાસભાના ઉમેદવારોની યાદીમાં જૂનાગઢ પાસના સહકન્વીનર અમિત ઠુંમરનું નામ આવતા પાટીદારોમાં રોષ ફાટી નીકળ્યો છે. જૂનાગઢ પાટીદાર અનામત આંદોલન સમિતિએ અમિત ઠુંમરને સમાજનો ગદ્દાર જાહેર કરીને અમિત તથા લલિત વસોયાના પૂતળાને બાળવામાં આવ્યું હતું.
જૂનાગઢ પાસ સહ કન્વીનર અમિત ઠુંમરને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. જેને લઇ જૂનાગઢ પાસમાં કેટલાક યુવા નેતાઓ કોંગ્રેસના જૂનાગઢ બેઠકના દાવેદાર એવા વિનુભાઈ અમીપરાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. પાટીદારો કોંગ્રેસના દાવેદારોની સાથે અને અમિત ઠુંમર અને લલિત વસોયા પાટીદાર સમાજના ગદ્દારો કહ્યા હતા.
પાસ કન્વીનરની આ વાત પછી કોંગ્રેસના આગેવાનોના ઈશારે પાટીદાર યુવાનો દ્વારા પાસ કન્વીનર અમિત ઠુંમર અને લલિત વસોયાનું પૂતળું બાળવામાં આવ્યું હતું.