ગુજરાત સરકાર દ્વારા જુનાગઢના વિસાવદર ખાતે સૌની યોજના ના શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા આ કાર્યક્રમ માં મુખ્યમંત્રીનો વિરોધ કરાતા ૫૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
ખેડૂતો એ કર્યા મગફળીના પાકના રસ્તા પર ઘા
મગફ્લી પાકમાં મુંડા નામનો રોગ આવ્યો
પાક નિષ્ફળ જવાથી સરકાર પાસે પાકવીમો માંગતા ખેડૂતો
ગત વર્ષે પાક વિમાનો રકમ નહી મળતા રોષે ભરાયેલા ખેડૂતો ગામ ગામ વિરોધ કરી રહ્યા છે એમાં આ વર્ષે મુંડાના રોગે મગફળીના પાક ને નુકસાન પહોંચાડ્યું છે આથી સરકારના પક્વિમાની રકમ થી નારાજ ખેડૂતોએ સૌની યોજના ના શીલાન્યાસમાં આવેલા મુખ્યમંત્રીનો વિરોધ કરતા મગફળીના પાકનો રસ્તા પર ઘા કરી વિરોધ પ્રકટ કરીઓ હતો અને મુંડા નામની જીવત પણ રસ્તા પર ફેંકી સરકારને પુરાવા રજુ કર્યા હતા.
સૌની યોજન જો સૌની હોય તો વિસાવદરના જ ધારાસભ્ય હર્ષદ રીબડીયાને આમન્ત્રણ ન પાઠવતા લોકો રોષે ભરાયા હતા અને સુત્રોચાર કરી પોતાનો વિરોધ પ્રકટ કરી રહેલા અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા ખેડૂતોને પોલીસ દ્વારા અલ્જબરી પૂર્વક રોકવામાં આવ્યા અને અટકાયત કરી લેવામાં આવી હતી.