જમ્મુ: આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદને લઈને પોતાની ફજેતી થયા બાદ પણ પાકિસ્તાન સુધરાવનું નામ નથી લેતું. ગઈકાલે રાત્રે એક વખત ફરી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. રાત્રે 12 કલાકની આસપાસ પાકિસ્તાન તરફથી જોરદાર મોર્ટાર શેલિંગનો મારો કરવામાં આવ્યો છે.
આ દરમિયાન જમ્મુ અને પૂંછ જિલ્લામાં પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો અને આ ગોળીબારમાં બીએસએફના એક જવાન અને એક અસૈન્ય વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને 12 બીજા લોકો ઘાયલ થઇ ગયા છે. પાકિસ્તાની રેન્જર્સે 17 અને 18 સપ્ટેમ્બર દરમિયાનની રાતે અરનિયા સેક્ટરમાં ગોળીબાર કર્યો અને પછી મોર્ટાર નાંખ્યા.
પાકિસ્તાન તરફથી રહેણાંક વિસ્તારને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલ શેલિંગનો બીએસએફના જવાનોએ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ગઈકાલે બપોરે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં એલઓસી નજીક સેનાના ટુકડી પર ગોળીબાર કર્યો હતો જેમાં એક જવાન શહીદ થઈ ગયો હતો.