તાજેતરમાં રિલાયન્સ JIOદવારા લોંચ કરાયેલ જીઓ ફોનમાં whatsapp નહિ હોય તેવી કેટલીયે અટકળોનો અંત આવતા કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્કેટમાં આવનારા jio ફોનમાં whatsapp ફિચર આપવામાં આવશે અને આ વિષય બાબતે અમે whatsapp સાથે વાતચીત પણ કરી રહ્યા છીએ.
આ માટે થઇ ને jio અને whatsapp સાથે મળીને એક નવા whatsApp વર્જનને તૈયાર કરી રહ્યું છે જેનો ઉપયોગ jio મોબાઈલમા કરવામાં આવશે તેવી વાત જીઓના એક ઉચ્ચ અધિકારીએ કરી હતી. ઉલ્લેખનીય છે કે jio ફોનમાં કેટલાક નવા ફીચર પણ કંપનીએ ઉમેર્યા છે.
ઉલ્લેખનીય છે કે 1500રૂપિયાની ડીપોઝીટમાં jio ફોન મળશે ગ્રાહકની તે ડિપોઝીટ ત્રણ વર્ષ બાદ jio ફોન ખરીદનાર ગ્રાહકને પરત મળશે તેવું મુકેશ અંબાણીએ ફોનના લોન્ચિંગ સમયે જણાવ્યું હતું. jio ફોન મેળવવાની ઉત્સુકતા ભારતીય ગ્રાહકોની ખુબ છે પરંતુ whatsapp અને બીજા કેટલાક ફીચર આ ફોનમાં નહિ હોવાને કારણે જીઓફોન ગ્રાહકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
jio ફોનમાં whatsappફીચર મળી રહે અને ગ્રાહકોનો ઉત્સાહ બેવડાય તે માટે કંપની દવારા whatsapp સાથે વાતચીત શરુ કરી છે. ટૂંક સમયમાં ભારતીય બજારમાં ઉપલબ્ધ થનાર જીઓફોનમાં whatsappએક નવા વર્ઝન સ્વરૂપે મળી રહેશે તેવુ જાણવા મળ્યું હતું.